આમ તો લીલા શાકભાજી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધા શાકભાજી ખાવા જોઇએ. ગણા શાકભાજી એવા હોય છે જે ઘણા રોગોમાં ઉપયોગી હોય છે. એવા જ એક લીલા શાકભાજી વિશે વાત કરીશુ જેનુ નામ છે ભીંડા.
ભીંડા માં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, કેલ્શિયમ ,પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા અનેક ભરપુર માત્રા મા ન્યુટ્રીઅન્ટ હોય છે. ભીંડા મા રહેલી ચીકાશ પણ અનેક બીમારીઓને દૂર કરવામા મદદરૂપ છે.
જેમની પાચન શક્તિ સારી હોય છે તેમના માટે ભીંડા શક્તિદાયક હોય છે. ભીંડા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેના આરોગ્ય સાથે સંકળાયેલા અગત્યના ફાયદા હોય છે. જેના વિશે આજે વાત કરીશું.
ભીંડામા સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા જોવા મળે છે જેવા કે ભીંડા ખાવાથી બોડી માં અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ ની કમી પૂરી થાય છે. ભીંડામાં ભરપૂર પ્રમાણમા ફાઇબર હોય છે જે બ્લડસુગરને કંટ્રોલ કરે છે તેથી ભીંડા ડાયાબિટીસ ના રોગીઓ માટે ખુબ જ લાભકારી છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ છે.
જો તમને ઘૂંટણના દુખાવા ની બીમારી રહેલી હોય તો દરરોજ ભીંડાનુ સેવન કરવુ કેમ કે ભીંડા મા ભરપુર પ્રમાણમા કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. તેમ જ સાંધાના દુખાવા માંથી છુટકારો આપે છે.
ભીંડામાં રહેલા વિટામિન C એ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે તેથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નો વધારો થાય છે. તેથી ભીંડો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત ભીંડા અસ્થમાની બીમારી નું નિયંત્રણ કરવામાં ખુબ જ મદદ કરે છે. જે લોકો ની આંખોની રોશની નબળી હોય છે તે લોકોને ભીંડાનુ સેવન કરવુ ખુબ જ ઉપયોગી છે કેમ કે ભીંડામાં થી મળતું વિટામિન A આંખો માટે ખુબ જ લાભકારી છે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ ભીંડા સ્કીન માટે પણ એટલા જ લાભદાયી છે. ભીંડા મા વિટામિન C ભરપુર પ્રમાણમા હોય છે
જે ચહેરાને કોમલ અને ગ્લોઇંગ બનાવવામા ખુબ જ મદદ કરે છે. ખરતા વાળ માટે પણ ભીંડાનુ સેવન કરવુ ખુબ જ લાભકારી છે. ભીંડામા પેક્ટિન ની માત્રા વધુ હોય છે જેથી તે લીવર સંબંધી સમસ્યાઓ દૂર કરે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.